પાટીદાર સહિત સારા સમાજની દીકરીઓને ફસાવવાનું ચાલે છે षડયંત્ર: લાલજી પટેલ
સિટી ન્યૂઝ@મહેસાણા
મહેસાણા જિલ્લામાં પ્રેમલગ્ન કરનાર બે યુવતીઓના અપહરણની ઘટનાઓ સામે આવીા છે. આ મામલે સરદાર પટેલ સેવાઘણના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે નિવેદન આપીને સમાજમાં દીકરીઓની સુરક્ષા અને મોબાઈલના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે.લાલજીભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સહિત અન્ય સમાજની દીકરીઓ એ પ્રેમસંબંઘમાં ફસાવી લઈ જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આ અંગે સમાજે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ માટે હવે મનોમંથનનો સમય આવી ગયો છે. તેમણે દીકરીઓના મોબાઈલ ઉપયોગ અંગે પણ સાવચેતી રાખવાની વાત કરી હતી.
તેમના મતે સોશિયલ મીડિયા અને મોબાઈલના દુરૂપયોગના કારણે અજાણ્યા લોકો સાથે સંપર્ક વધવાથી કેટલીક યુવતીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે, આવી ઘટનાઓમાં ચોક્કસ કારણ અને જવાબદારી તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.મહેસાણા જિલ્લામાં તાજેતરમાં પ્રેમલગ્ન બાદ યુવતીઓના અપહરણના આક્ષેપો સામે આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા સંબંધિત ફરિયાદોના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને યુવતીઓની સુરક્ષા તથા સમગ્ર ઘટનાના સંજોગો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. લાલજીભાઈ પટેલે સમાજના વાલીઓને પણ દીકરીઓ સાથે ખુલ્લા સંવાદ અને વિશ્વાસનું વાતાવરણ જાળવવા પર ભાર મૂક્યો છે. સાથે જ યુવતીઓને પણ કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલાં સાવચેતી રાખવાની અપીલ કરી છે.