દેશમાં 65 કરોડ હિન્દુઓ માંસ ખાય છે !
ભારતના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે - પ્યૂ રિસર્ચ સેન્ટરનો સર્વે
-
હિન્દુની વસ્તી: 79.8% વસ્તી | 65 કરોડ હિન્દુઓ માંસ ખાય છે
-
મુસ્લિમની વસ્તી: 14% વસ્તી | 98% માંસાહારી
-
ખ્રિસ્તી સમુદાયની વસ્તી: 2.3% વસ્તી | 98% માંસ ખાય છે
શાકાહારીઓનું સૌથી વધુ પ્રમાણ - જૈન અને શીખ સમુદાયોમાં
સિટી ન્યૂઝ@નવી દિલ્હી વિશ્વભરમાં માણસોની જીવનશૈલી અને ખાવાની આદતો મોટાભાગે તેમના ધર્મ અને સંસ્કૃતિથી પ્રભાવિત હોય છે. જ્યારે માંસની વાત આવે છે ત્યારે વિવિધ ધાર્મિક સમુદાયોમાં માંસ ખાવા અંગે રસપ્રદ આંકડાઓ બહાર આવ્યા છે. અસંખ્ય આંકડાકીય અને વસ્તી વિષયક અભ્યાસો દર્શાવે છે કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વૈશ્વિક સ્તરે સૌથી વધુ માંસ ખાય છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં પણ વસ્તી વિષયક બાબતોને જોતા આહાર પદ્ધતિ આશ્ચર્યજનક રીતે અલગ છે.
ખ્રિસ્તી ધર્મ વૈશ્વિક સ્તરે સૌથી વધુ વસ્તી ધરાવે છે. ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને કારણે આ ધર્મ સૌથી વધુ માંસ ખાય છે. આંકડા અનુસાર, લગભગ ૯૯ ટકા ખ્રિસ્તી વસ્તી નિયમિતપણે અથવા ક્યારેક ક્યારેક તેમના આહારમાં માંસનો સમાવેશ કરે છે. ખ્રિસ્તી ધર્મ વૈશ્વિક સ્તરે સૌથી વધુ અનુયાયી ધરાવે છે.
ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને કારણે આ ધર્મના આહારમાં માંસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે પશ્ચિમી દેશોથી લઈને એશિયન દેશો સુધી ફેલાયેલું છે અને તે તેમના પરંપરાગત અને દૈનિક આહારનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ પછી ઈસ્લામ વિશ્વભરમાં બીજા ક્રમનો સૌથી મોટો માંસ ખાનાર ધર્મ છે. ઈસ્લામિક માન્યતાઓ અનુસાર, હલાલ તરીકે તૈયાર કરવામાં આવતા માંસ આ સમુદાયના આહારનો મુખ્ય ભાગ છે. વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે લગભગ ૯૯ ટકા મુસ્લિમ સમુદાય માંસાહારી ખોરાક ખાય છે.
મધ્ય પૂર્વથી લઈને ભારતીય ઉપખંડ સુધી મુસ્લિમ પરિવારોના ભોજન અને ખાસ તહેવારોમાં વિવિધ પ્રકારનું માંસ ખાવામાં આવે છે. હિન્દુ ધર્મને ધ્યાનમાં લેતા આ સમુદાયમાં આહારની આદતોમાં નોંધપાત્ર વિવિધતા જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓ, પ્રાદેશિક પ્રભાવ અને વૈષ્ણવ ધર્મ જેવા સંપ્રદાયોને કારણે હિન્દુઓમાં શાકાહારીઓનું પ્રમાણ અન્ય ધર્મો કરતા ઘણું વધારે છે. આ હોવા છતાં હિન્દુ વસ્તીનો એક નોંધપાત્ર ભાગ આશરે ૭૫ ટકા માંસાહારી ખોરાક ખાય છે. ભારતની કુલ વસ્તીમાં હિન્દુઓના મોટા પ્રમાણને કારણે આ સમુદાય દેશમાં માંસ ખાનારાઓમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે.
ભગવાન બુદ્ધના અહિંસાના ઉપદેશો હોવા છતાં બૌદ્ધ ધર્મના લોકો માંસ ખાવાનું ચલણ ખૂબ વધારે છે. વૈશ્વિક આંકડા અનુસાર, લગભગ ૯૭ ટકા બૌદ્ધો માંસ ખાય છે. તેનાથી વિપરીત જૈન ધર્મ અને શીખ ધર્મમાં માંસના વપરાશ અંગે ખૂબ જ કડક નિયમો અને ધાર્મિક પ્રતિબંધો છે. આ જ કારણ છે કે શાકાહારીઓનું સૌથી વધુ પ્રમાણ જૈન અને શીખ સમુદાયોમાં જોવા મળે છે, જ્યાં પ્રાણીઓની હત્યા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ભારતના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) અને પ્યૂ રિસર્ચ સેન્ટરના અભ્યાસ મુજબ, દેશની કુલ વસ્તીના ૭૯.૮ ટકા હિન્દુઓ છે. આ ટકાવારીના આધારે ભારતમાં આશરે ૬૫ કરોડ હિન્દુઓ માંસ ખાય છે દેશમાં મુસ્લિમ વસ્તી ૧૪.૨% છે, જેમાંથી આશરે ૯૮% થી ૯૮% માંસાહારી છે. ખ્રિસ્તી સમુદાય ભારતની વસ્તીના ૨.૩% છે, અને આ નાના જૂથમાં પણ લગભગ ૯૮% લોકો તેમના આહારમાં માંસને પ્રાથમિકતા આપે છે.