Loading Please Wait !!!
રામ મંદિરના નામે મહિલાએ 4 કરોડનો ચેક દાનમાં આપ્યો, ખાતામાં ફક્ત 3 રૂપિયા નીકળ્યા

ચેક બાઉન્સ થતાં એક્શનની તૈયારીમાં બેંક

ખાતામાં પૂરતી રકમ ન હોવા છતાં આટલી મોટી રકમનો ચેક કેમ આપવામાં આવ્યો : ખુલાસો મંગાવો

સિટી ન્યૂઝ@અયોધ્યા

અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા ચેક બાઉન્સ થવાનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ચેન્નઈની એક મહિલા ભક્તે રામ મંદિરના કર્મચારીઓની સુવિધા માટે શ્રી રામ જન્મભૂમિ તೀರ್થ ક્ષેત્ર ટ્રસ્ટને ૪ કરોડનો ચેક આપ્યો હતો. જ્યારે ટ્રસ્ટે ચેક જમા કરાવ્યો, ત્યારે ચકાસણીમાં ખાતામાં ફક્ત ૩ જ હોવાનું બહાર આવ્યું. પૂરતી રકમ ન હોવાને કારણે ૪ કરોડનો ચેક બાઉન્સ થઈ ગયો. મહિલા શ્રદ્ધાળુ ઈચ્છતી હતી કે તેનું ૪ કરોડનું દાન જસીકરીને રામ મંદિરના કર્મચારી માટે સુવિધાઓ માટે ખર્ચવામાં આવે. આના માટે તેણે ટ્રસ્ટ પાસેથી આ અંગે લેખિત ખાતરી માંગી હતી; જો કે, ટ્રસ્ટે આવી લેખિત ગેરંટી ન આપી હોવાનું સામે આવ્યું છે. આ

દરમિયાન, મહિલાએ મંદિરને ૧૦,૦૦નું દાન પણ આપ્યું હતું. ૪ કરોડનો ચેક બાઉન્સ તથા બાઉન્સ ચેક જાહેર કરનાર મહિલાને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. નોટિસમાં તેમના ખાતામાં પૂરતી રકમ ન હોવા છતાં આટલી મોટી રકમના ચેક કેમ આપવામાં આવ્યો આ સંબંધમાં ખુલાસો માંગવામાં આવી શકે છે. ચેક બાઉન્સ થવાના કેસોમાં નિયમો અનુસાર કાનૂની કાર્યવાહીનું પણ પ્રાવધાન છે.