આક્ષેપ : મોદી એક્શનને બદલે વિદેશ પ્રવાસે !
=> દેશમાં આર્થિક તોફાન આવવાનું છે : રાહુલ
સિટી ન્યૂઝ@રાયબરેલી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ૨ દિવસના યુપી પ્રવાસે છે. મંગળવારે રાયબરેલીમાં રાહુલે કહ્યું- હવે આર્થિક તોફાન આવવાનું છે. પીએમ મોદીએ અદાણી અને અંબાણીવાળું જે આર્થિક માળખું બનાવ્યું છે, તે તૂટીને પડશે. તેનું નુકસાન સામાન્ય જનતાને થશે. યુપીની જનતાને આંચકો લાગશે. ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો છે. એક્શનને બદલે પીએમ કહી રહ્યા છે કે વિદેશ યાત્રા પર ન જાવ, જ્યારે પોતે દુનિયાના ચક્કર કાપી રહ્યા છે. અમે તમારી સાથે ઊભા છીએ. જ્યાં પણ તમે જશો, મને બોલાવી લેજો, હું તમારી સાથે રહીશ. તમે મને સમર્થન આપ્યું, તમે બારાત ઘરની માંગ કરી હતી, અમે તમને બારાત ઘર પણ આપી દીધું.
આગામી વખતે જ્યારે અહીં લગ્ન થશે તો મને જરૂર બોલાવજો, હું જરૂર આવીશ. અમારો સંબંધ પ્રેમનો છે, દિલોનો સંબંધ છે, પરિવાર જેવો સંબંધ છે. જનતા મારા માટે માતા-પિતા, દાદી, બહેન અને ભાઈ જેવી છે. રાહુલ મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે દિલ્હીથી લખનૌ એરપોર્ટ પહોંચ્યા. યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય અને રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ તેમનું સ્વાગત કર્યું. સેંકડો કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો બેનર-પોસ્ટર લઈને એરપોર્ટ પહોંચ્યા. તેમણે રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યા.
રાહુલે કહ્યું- નરેન્દ્ર મોદી કહે છે કે સોનું ન ખરીદો, ઇલેક્ટ્રિક ગાડી ખરીદો, વિદેશ ન જાવ. આટલું કહ્યા પછી નરેન્દ્ર મોદી વિદેશ ચાલ્યા જાય છે. દુઃખની વાત છે કે હવે જબરદસ્ત આર્થિક તોફાન આવવાનું છે, જેને કોઈ રોકી શકશે નહીં. એવું આર્થિક તોફાન આવવાનું છે, જે તમે અને અમે ક્યારેય જીવનમાં જોયું નહીં હોય. એનો ફટકો કોને લાગશે? અંબાણી-અદાણી પોતાના મહેલોમાં બેઠા રહેશે. તેમના મહેલોમાં ચારેય બાજુ સુરક્ષા હશે.