Loading Please Wait !!!

જુનાગઢ

જૂનાગઢ સિવિલમાં 'રજા'ના દિવસે દર્દીઓ રામભરોસે: OPD ને તાળા વાગતા ગરીબ દર્દીઓમાં ભારે રોષ!

જવાબદાર અધિકારીઓ ગેરહાજર, વહીવટી શૂન્યાવકાશ - ઇમરજન્સીમાં લાંબી લાઈનો અને માત્ર કામચલાઉ દવાઓનો સહારો સુપરિન્ટેન્ડન્ટ અને RMO ગાયબ -...

વિકાસથી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે રોષ:વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત, 7 દિવસમાં કામ શરૂ ન થાય તો ઉપવાસની ચીમકી જૂનાગઢ26 મિનિટ પેહલા જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં નવાનગરવાડા વિસ્તારનું ઐતિહાસિક અને પૌરાણિક શીતલાકુંડ મંદિર છેલ્લા ઘણા સમયથી વિકાસના અભાવે અવ્યવસ્થિત સ્થિતિમાં છે.ધાર્મિક અને સામાજિક રીતે અત્યંત મહત્વ ધરાવતા આ સ્થળે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને પ્રસંગોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે, છતાં અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે શીતળા સાતમ, મોટી સાતમ જેવા તહેવારો ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે દીપમાળાના પ્રસંગે અહીં હજારો ભાવિકો ભેગા થાય છે. છતાં, તંત્ર દ્વારા સ્થળના વિકાસ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ભાવિકોને તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. 50 લાખની ગ્રાંટ છતાં કામ ચાલુ ન થયું રહેવાસીઓનું કહેવું છે કે શીતલાકુંડના વિકાસ માટે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વિકાસ કામ ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ હાથ ધરવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને તેની માહિતી ધારાસભ્યની ત્રિવેણી સંગમ પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી.આ જાહેરાતથી સ્થાનિકોમાં આશા જાગી હતી કે હવે શીતલાકુંડનો વિકાસ થશે અને અહીં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે.આજદિન સુધી સ્થળ પર કોઈ પણ પ્રકારનું વિકાસ કામ શરૂ થયું નથી.માત્ર પ્લાન અને નકશા તૈયાર થઈ રહ્યા હોવાના આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે,પરંતુ જમીન પર કોઈ કામગીરીનો અણસાર પણ દેખાતો નથી.આથી સ્થાનિકોમાં નિરાશા અને રોષ બંને વધી રહ્યા છે. શીતલાકુંડ મંદિરના વિકાસનો અભાવ. શીતલાકુંડ મંદિરના વિકાસનો અભાવ. પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનવું પડશે:મિહિર મહેતા આ મુદ્દે શીતલાકુંડ વિસ્તારના રહેવાસી મિહિર મહેતાએ જણાવ્યું હતું કે અગાઉ 9 માર્ચ 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યા છે. જો આગામી સાત દિવસમાં શીતલાકુંડના રિનોવેશનનું કામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનશે. ધાર્મિક સ્થળ છતાં, મૂળભૂત સુવિધાનો અભાવ બીજી તરફ, સ્થાનિક રહેવાસી નારાયણ મેઘજી ઝાલાએ પણ તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. શિવરાત્રી અને હનુમાન જયંતી જેવા મોટા તહેવારો પસાર થઈ ગયા હોવા છતાં, કોઈ પણ અધિકારી કે સત્તાધીશે આ સ્થળની મુલાકાત લીધી નથી કે વિકાસ કામ ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટતા કરી નથી.તંત્રની આ ઢીલી નીતિ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.રહીશોનું કહેવું છે કે આ સ્થળ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે,છતાં તેને અવગણવામાં આવી રહ્યું છે.સ્થળ પર સાફસફાઈ, બેસવાની વ્યવસ્થા, પાણી અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. પૌરાણિક મહત્વ જાળવવા કામ શરૂ કરવું જરૂરી આ પરિસ્થિતિથી કંટાળી શીતલાકુંડ વિસ્તારના રહીશોએ 2 એપ્રિલ 2026ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.આ આવેદનમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સાત દિવસની અંદર વિકાસ કામ શરૂ નહીં થાય, તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસશે. સાથે જ તેમણે આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે.આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે શીતલાકુંડનું ઐતિહાસિક અને પૌરાણીક મહત્વ જાળવવા માટે તાત્કાલિક ધોરણે વિકાસ કામ શરૂ કરવું જરૂરી છે. તેઓએ કમિશનરને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તેઓ લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ હવે તેમની સહનશક્તિનો અંત આવી રહ્યો છે. જો તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ કરવા મજબૂર બનશે,જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.હાલમાં સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના આ આંદોલનની ચેતવણી પછી તંત્ર કોઈ તાત્કાલિક પગલાં લે છે કે નહીં.

ધારાસભ્ય સંજય કોરડીયાએ ફાળવેલા નાણાં ક્યાં વપરાયા? - 7 દિવસમાં કામ શરૂ નહીં થાય તો મિહિર મહેતા ઉતરશે ઉપવાસ પર તહેવારોમાં હજારો...

જૂનાગઢ પોલીસ 'એક્શન મોડ'માં: PI સંજય દેસાઈ કાફલા સાથે બજારમાં ઉતર્યા, આડેધડ પાર્કિંગ કરનારાઓમાં ફફડાટ!

આઝાદ ચોકથી દાણાપીઠ સુધી પગપાળા પેટ્રોલિંગ - રસ્તા વચ્ચે વાહન ઊભા રાખનારાઓને પોલીસે સ્થળ પર જ ખખડાવ્યા "દંડ નહીં, જનજાગૃતિ...

જૂનાગઢ GIDC-2માં ભીષણ આગ: માધવ પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું - ફાયર ફાઈટરોની ભારે જેહમત બાદ સ્થિતિ કાબૂમાં સદનસીબે જાનહાનિ ટળી, પણ...

જૂનાગઢ યાર્ડમાં કેસરના 'શ્રીગણેશ': સ્વાદરસિકોના ખિસ્સા હળવા થશે, 10 કિલો કેરીના ભાવ ₹1700ને પાર!

કમોસમી વરસાદ અને રોગચાળાની બેવડી માર - આ વર્ષે ગીરની કેસર મોંઘી અને મોડી મળશે કુદરતની કારમી થપાટથી ઇજારેદારો રાતા પાણીએ રોયા -...

જૂનાગઢ GIDC ના ઉદ્યોગકારો સામે તંત્ર નમ્યું: 'ચક્કાજામ'ની ચીમકી મળતા જ મેયર ગ્રાઉન્ડ ઝીરો પર દોડતા થયા!

"વિરોધ વગર વિકાસ નહીં" ના નારા સાથે કારખાનેદારો મેદાનમાં - મેયરે આપી 25 દિવસમાં રોડ પૂર્ણ કરવાની લેખિત ખાતરી જીઆઈડીસી-2 ફેક્ટરી ઓનર્સ...

જૂનાગઢમાં 'ઝેર'નો સોદાગર ઝડપાયો: લાઠોદ્રા રોડ પરથી 19 ગ્રામ MD ડ્રગ્સ સાથે 21 વર્ષીય યુવાનની ધરપકડ!

SOG ની ટીમે વોચ ગોઠવી લાખાણી શખ્સને આંતર્યો - મોપેડ અને મોબાઈલ સહિત ₹97 હજારનો મુદ્દામાલ કબજે બર્ગમેન મોપેડ પર નશાનો જથ્થો લઈ નીકળ્યો...

જૂનાગઢમાં ગેસ એજન્સીઓની દાદાગીરી! કેટરિંગ એસોસિએશન મેદાનમાં- "બુકિંગમાં ગલ્લાતલ્લા અને તોછડું વર્તન હવે નહીં ચલાવાય"

કલેક્ટર કચેરીએ ઉમટ્યા કેટરિંગ સંચાલકો - લગ્નસરાની સીઝનમાં ગેસની કૃત્રિમ અછત ઉભી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ રશિયા-યુક્રેન જંગ અને...

જૂનાગઢ સિવિલમાં માનવતા મરી પરવારી! આયુષ્માન કાર્ડ વગર ગરીબ મહિલાનું ઓપરેશન રોક્યું, 5 દિવસ સુધી અસહ્ય પીડામાં રઝળી વૃદ્ધા

"પૈસા હોત તો સરકારીમાં શું કામ આવત?" - પીડિત શાંતિબેનની વેદના, સિનિયર ડોક્ટરો હાજરી પૂરીને ખાનગી પ્રેક્ટિસમાં વ્યસ્ત એચ.ઓ.ડી. અને...

જૂનાગઢમાં 'પટેલ કેળવણી મંડળ'નો વિવાદ વકર્યો: ટ્રસ્ટીના પુત્ર ચેતન ફળદુએ ધારાસભ્ય અને વાલીઓને જાહેરમાં ગાળો ભાંડી!

"સંજય કોરડિયાને ખબર નથી હું કોણ છું" - સત્તાના નશામાં ચૂર ચેતનનો અભદ્ર વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં ભારે રોષ ઉપવાસ પર બેઠેલા...

જૂનાગઢમાં ગુરુ બ્રાહ્મણ સમાજનું સંગઠન વધુ મજબૂત: ભવનાથ તળેટીમાં મળેલી સાધારણ સભામાં નવી કારોબારીની વરણી!

મહામંત્રી તરીકે જયદીપભાઈ જોગેલ અને ખજાનચી તરીકે મનસુખભાઈ રાબડીયાની વરણી - સમાજના ઉત્થાન માટે લેવાયા સંકલ્પ ભવનાથ તળેટીમાં...

જૂનાગઢમાં કાળમુખો શુક્રવાર: વિસાવદર, માણાવદર અને બાંટવામાં ત્રણ આશાસ્પદ જિંદગીઓ હોમાઈ!

બે માસૂમ બાળકોના પાણીમાં ડૂબવાથી અને એક યુવાનનું વીજ કરંટથી કરુણ મોત - રક્ષણ અને સાવચેતીના પાઠ ભણાવતી ઘટનાઓ અગાશી પર હાઈવોલ્ટેજ...