Loading Please Wait !!!
ગરીબીના એ અંધકારમાંથી ભારત કેવી રીતે બન્યું દુનિયાનો બોસ

મારું ભારત મહાન

૭૬ વર્ષની પ્રગતિ, વિશ્વમાં અગ્રણી ભારત

૫ આંકડા, ૫ ગર્વની વાતો

  • અર્થવ્યવસ્થા: ૨૦૦૦ પછી અર્થતંત્ર ૪ ગણું મોટું, વિશ્વના GDPમાં હિસ્સો ૧.૬% થી વધીને ૩.૪% (૨૦૨૩)
  • શિક્ષણ: પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનારનું પ્રમાણ લગભગ 100%, સાક્ષરતા દર ૪ ગણો વધારો (૧૯૫૧-૨૦૧૧)
  • અન્ન સુરક્ષા: અનાજ ઉત્પાદન રેકોર્ડ સ્તરે, ચોખા, ઘઉં, દૂધના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર
  • ડિજિટલ ક્રાંતિ: UPI, સસ્તું ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓથી કરોડો લોકોના જીવનમાં બદલાવ, ડિજિટલ અર્થતંત્ર વિકાસનું મુખ્ય એન્જિન
  • ગરીબીમાં ઘટાડો: અતિ ગરીબી દર ૧૬.૨% (૨૦૧૧-૧૨) થી ઘટીને ૨.૩% (૨૦૨૨-૨૩)

આઝાદીના 79 વર્ષ; મેરા ભારત મહાન

સિટી ન્યૂઝ @ નવી દિલ્હી

૨૦૨૬માં ભારત જ્યારે પોતાનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયાને દેશે ૭૬ વર્ષ પૂરા કર્યા છે. ૧૯૪૭માં એક ગરીબ, પછાત અને મુખ્યત્વે ખેતી પર નભતા દેશમાંથી આજે વિશ્વની એક મોટી આર્થિક મહાસત્તા બનવા સુધીની ભારતની સફર અદભુત રહી છે. આ લાંબી યાત્રામાં દેશે અનેક મોટી સફળતાઓ મેળવી છે, તો સાથે જ કેટલીક અધૂરી અપેક્ષાઓ અને પડકારોનો સામનો પણ કર્યો છે. ચાલો સમજીએ કે આ ૭૬ વર્ષોમાં ભારતે વાસ્તવમાં શું હાંસલ કર્યું છે.

અન્નની અછતથી લઈને અન્ન સુરક્ષા સુધીની મિશાલ

આઝાદીના પ્રારંભિક દાયકાઓમાં ભારત એક એવો દેશ હતો જે વારંવાર દુષ્કાળનો ભોગ બનતો અને અનાજ માટે બીજા દેશો પર નિર્ભર રહેતો. ખેતી ક્ષેત્ર સંપૂર્ણપણે ચોમાસા પર આધારિત હતું. પરંતુ હરિયાળી ક્રાંતિ (Green Revolution) એ ભારતનું નસીબ બદલી નાખ્યું. સુધારેલા બિયારણો, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, ખાતરો અને નવી ટેકનોલોજીના ઉપયોગથી દેશમાં અનાજનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું. પરિણામે, જે દેશ ક્યારેક અનાજની આયાત કરતો હતો.

ટેકનોલોજી અને ડિજિટલ ક્રાંતિ: નવું ભારત

અંતરિક્ષ વિજ્ઞાનથી લઈને ગલ્લાઓમાં રમતા ડિજિટલ પેમેન્ટ સુધી, ટેકનોલોજી આજે સામાન્ય ભારતીયના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે. ટેલિકોમ્યુનિકેશનનો વિસ્તાર, સસ્તું ઇન્ટરનેટ અને ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જેમ કે UPI) એ દેશના કરોડો લોકોની જીવનશૈલી બદલી નાખી છે. આજે ગામડાનો નાનો વેપારી પણ એક ક્લિક પર બેંકિંગ વ્યવહારો કરે છે. શિક્ષણ, સરકારી સેવાઓ અને આરોગ્ય સુવિધાઓ હવે ડિજિટલ માધ્યમથી લોકોના ઘર સુધી પહોંચી રહી છે.

હજુ પણ બાકી છે કેટલાક મોટા પડકારો

ભારતની આ તમામ સિદ્ધિઓ ચોક્કસપણે ગર્વ લેવા જેવી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દેશના બધા જ પ્રશ્નો ઉકલાઈ ગયા છે. ગરીબી નાબૂદીના મોરચે ભારતે બહુ સારું કામ કર્યું છે. વર્લ્ડ બેંકના અંદાજ મુજબ, વર્ષ ૨૦૧૧-૧૨માં તે અત્યંત ગરીબી ૧૬.૨% હતી, તે વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ઘટીને ૨.૩% પર આવી ગઈ છે. જો કે, આ મોટી સફળતા છતાં આપણી અસમાનતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓની ઉપલબ્ધિ અને રોજગારીની તકોની બાબતમાં જુદા જુદા રાજ્યો અને સમાજના વર્ગો વચ્ચે હજુ પણ મોતો તફાવત જોવા મળે છે.

એક સંઘર્ષ કરતા અર્થતંત્રમાંથી વૈશ્વિક મહાસત્તા સુધીની સફર

આઝાદી સમયે ભારતની સામે ભૂખમરો, વ્યાપક ગરીબી, નહિવત ઓદ્યોગિક ક્ષમતા અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પહાડ જેવા પડકારો હતા. પરંતુ સમય જતાં ભારતીય અર્થતંત્રનો જે વિકાસ થયો છે તે જેવા જેવો છે. વર્લ્ડ બેંકના અહેવાલો મુજબ, વર્ષ ૨૦૦૦ પછી ભારતના અર્થતંત્રમાં વાસ્તવિક રીતે ચાર ગણો વધારો થયો છે. એટલું જ નહીં, વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો હિસ્સો વર્ષ ૨૦૦૦માં જે માત્ર ૧.૯% હતો, તે વર્ષ ૨૦૨૩ સુધીમાં વધીને ૩.૪% થઈ ગયો. આજે ભારત વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં સન્માનભર્યું સ્થાન ધરાવે છે. આ પરિવર્તનની પાછળ સર્વિસ સેક્ટર (સેવા ક્ષેત્ર), ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT), મેન્યુફેક્ચરિંગ અને દેશમાં ખીલેલી સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો બહુ મોટો હાથ છે. આ ક્ષેત્રોએ વૈશ્વિક મંચ પર ભારતની આખી ઓળખ બદલી નાખી છે.

શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા

ભારતની સૌથી મોટી સફળતા માનવ સંસાધનના વિકાસમાં જોવા મળે છે. ૧૯૪૭માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતીયોની સરેરાશ આયુષ્ય (લાઈફ એક્સપેક્ટન્સી) માત્ર ૩૭ વર્ષની આસપાસ હતું, જે ૨૦૧૨ સુધીમાં વધીને ૭૧ વર્ષથી વધુ થઈ ગયું અને આજે તેમાં વધુ સુધારો થયો છે. આવી જ રીતે સાક્ષરતા દરમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ૧૯૫૧થી ૨૦૧૧ વચ્ચે દેશમાં પુખ્ત સાક્ષરતા દર ચાર ગણો વધી ગયો. સરકારે શિક્ષણ, આરોગ્ય અને રસીકરણના દાયરાને દેશના ખૂણે-ખૂણે પહોંચાડ્યો છે. વર્લ્ડ બેંકના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનારા બાળકોની સંખ્યા હવે લગભગ ૧૦૦% સુધી પહોંચી ગઈ છે. આ સિવાય, આધુનિક તબીબી સુવિધાઓને કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જે એક બહુ મોટી રાહતની વાત છે.