ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ નથી લેવાતું
દિવ્ય ભાસ્કર વેબે રાજકીય નિષ્ણાંતો સાથે કરી વાત-ચીત
શું કહે છે રાજકીય નિષ્ણાંતો
રાજીનામાથી ગુનાની 'સ્વિકૃતિ' નો સંદેશ જશે : રાશિદ કિદવાઈ
-
રાજીનામું લેવાથી ભૂલ સ્વીકારાઈ હોવાનો સંદેશ જશે, જે પીએમ મોદી બિલકુલ ઇચ્છતા નથી.
-
નીતિઓ PMO થી નક્કી થતી હોવાથી, માત્ર મંત્રીના રાજીનામાથી PMO પર પણ સવાલો ઉઠી શકે.
-
UPA ની જેમ આરોપ લાગતા જ રાજીનામું લેવાનો ટ્રેન્ડ ભાજપ ટાળવા માંગે છે.
-
ભાજપ ગણતરીપૂર્વક પગલાં લે છે. મોટું રાજકીય નુકસાન દેખાશે ત્યારે જ પ્રધાનને હટાવાશે.
ધ મોદી વે ઓફ પોલિટિક્સ : આશુતોષ
-
પીએમ મોદી ક્યારેય દર્શાવવા માંગતા નથી કે કોઈ તેમને દબાણમાં લાવી શકે છે.
-
પીએમ મોદીનો કડક રવૈયો જ સરકાર અને પાર્ટીની નીતિ બની જાય છે.
-
કૃષિ કાયદા પાછા ખેંચતી વખતે પણ તેમણે ભૂલ સ્વીકારવાને બદલે માત્ર સંવાદના અભાવને કારણ ગણાવ્યું હતું.
રાજીનામાથી TDP, IDU જેવા સહયોગી ગરબડ કરે: અમિતાબ તिवारी
-
રાજીનામાથી ભૂલ સ્વીકાર્યાનો સંદેશ જશે અને વિપક્ષની માંગણીઓ વધશે.
-
NDA સરકાર સહયોગીઓ (TDP, JDU) પર નિર્ભર છે. રાજીનામાથી અસંતોષ ઊભો થાય તો સરકાર અલ્પમતમાં આવી શકે.
-
વિધાનસભા ચૂંટણીઓ નજીક હોવાથી સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી, તેથી રાજીનામું મોડું થઈ શકે.
એક મંત્રીનું રાજીનામું લેતાં જ અન્ય મંત્રીઓના રાજીનામાની માંગ તેજ બની જશે : નિશાંત કુમાર
-
નીતિઓનું સંચાલન PMO કરતું હોવાથી માત્ર મંત્રીને જવાબદાર ઠેરવી શકાય નહીં.
-
મોદીની મજબૂત અને અજય નેતાની ઇમેજ જાળવવા સરકાર આરોપો સ્વીકારીને રાજીનામા લેતી નથી.
-
એક મંત્રીનું રાજીનામું લેતા અન્યાના રાજીનામાની માંગ ઉઠશે, જેનાથી સરકાર બચવા માંગે છે.
-
સીધા હટાવવાને બદલે ભવિષ્યમાં થનારા કેબિનેટ વિસ્તરણની આડમાં તેમને હટાવઈ શકે છે.
માગણીઓનો પટારો ખૂલી જશે : હર્ષવર્ધન ત્રિપાઠી
-
એક માંગ સ્વીકારાતા વિરોધીઓની અન્ય માંગણીઓ વધશે અને પ્રદર્શનો વેગ પકડશે.
-
રાજીનામું તો ભવિષ્યમાં થશે જ, પરંતુ જવાબદારીના ભાગરૂપે તે અત્યારે જ લઈ લેવું જોઈએ.