Loading Please Wait !!!
CJP આંદોલનમાં બોલીવુડમાં ‘વોર’!

 

સપોર્ટમાં

=> શબાના આઝમી અને પ્રકાશ રાજ જંતર-મંતર પહોંચ્યા

વરિષ્ઠ અભિનેત્રી શબાના આઝમી સોમવારે સીજેપીના વિરોધ માર્ચમાં જોડાવા દિલ્હી પહોંચ્યા. ૭૫ વર્ષીય એક્ટ્રેસ પ્રદર્શનકારીઓ સાથે ધક્કા મુક્કી કરતી અને બેરિકેડ્સ પાર કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા તેણે લખ્યું કે આખરે સરકાર વાતચીત માટે તૈયાર થઈ ગઈ છે. જંતર-મંતર પર શિક્ષણ સુધારાઓ માટે આ એક શાંતિપૂર્ણ પ્રદર્શન છે. પ્રદર્શન દરમિયાન શબાના આઝમીનો શ્વાસ ફૂલતો દેખાયો, પરંતુ તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પરીક્ષામાં થયેલી ગડબડની તપાસની માંગ પર અડગ રહ્યા.

=>વિદ્યાર્થીઓ સાથે જે થયું તે ખોટું હતું: દિલજીત દોસાંજ

દિલજીત દોસાંજે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું: “આજે જે થયું તે ખૂબ જ ખોટું હતું. વિદ્યાર્થીઓ સાથે આ રીતે વર્તવું જોઈતું ન હતું. હું અધિકારીઓને વિદ્યાર્થીઓની માંગણીઓી સાંભળવા અપીલ કરું છું. લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે. ભૂતકાળમાં મને ઘણી વખત ‘રાષ્ટ્રવિરોધી’ કહેવામાં આવ્યો છે, અને હવે મને કદાચ એ જ રીતે લેબલ કરવામાં આવશે. જેષ્ટ્રના વિરોધ પછી, મને બોંધપાત્ર વિરોધ અને દારૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો - એવા મુદ્દાઓ જેના વિશે હું ખુલ્લેઆમ બોલી પણ શકાતો નથી. ભગવાન બધું જુએ છે. ભગવાન બધાને આશીર્વાદ આપે.”

વિરોધમાં

=>કંગનાએ કહ્યું આ બધા જંતર-મંતર પર હોબાળો કરી ઉત્પાત મચાવી રહ્યા છે

=> પ્રદર્શન દ્વારા સરકારને એ નક્કી કરવા માટે મજબૂર કરી શકાય નહીં કે કોને પદ પર રાખવા છે અને કોને હટાવવા છે

ભાજપના સાંસદ અને એક્ટ્રેસ કંગના રૌતે આ આંદોલનની સખત ટીકા કરી છે. સંસદ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા કંગનાએ કે મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માટે સંસદ યોગ્ય જગ્યા છે, રસ્તાઓ નહીં. તેમણે કહ્યું કે જનતાએ એક સરકાર ચૂંટી છે અને સરકાર ચલાવવાનો નિર્ણય તેનો જ હોવો જોઈએ. કંગનાએ કહ્યું કે આ બધા જંતર-મંતર પર હોબાળો કરી રહ્યા છે, ઉત્પાત મચાવી રહ્યા છે. જે રીતે આંદોલન ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. પ્રદર્શન દ્વારા સરકારને એ નક્કી કરવા માટે મજબૂર કરી શકાય નહીં કે કોને પદ પર રાખવા છે અને કોને હટાવવા છે.

=> હેમા માલિનીએ કહ્યું કે, આવા આંદોલનથી કંઈ પ્રાપ્ત થવાનું નથી

  • મામલાને વાતચીતથી ઉકેલો જોઈએ અને તેમાં સામેલ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા ન જોઈએ

આવા આંદોલનથી કઈંપણ પ્રાપ્ત થવાનું નથી. મોદી સરકાર દેશના યુવાનો અને શિક્ષણ વ્યવસ્થાના વિકાસ માટે સતત કામ કરી રહી છે. હેમા માલિનીએ કહ્યું કે આ મામલાને વાતચીતથી ઉકેલવો જોઈએ અને તેમાં સામેલ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા ન જોઈએ. જોકે, તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પરસકોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો.