CJPના અભિજીત દીપકેનો આરોપ ભાજપના ગુંડાઓ પથ્થરમારો કરે છે
જંતર-મંતર પર પોલીસ વિરૂધ્ધ નારા લાગ્યા: વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ફરી અથડામણ 2 ACP ઘાયલ, યુવાનો સામે FIR
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સામાજિક કાર્યકર અન્ના હજારેએ ગુરુવારે વિદ્યાર્થીઓના પ્રદર્શનનાં સમર્થનમાં મહારાષ્ટ્રના અહલ્યાનગરનાં ગૌંન આંદોલન શરૂ કર્યું છે. તેમણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો, તેમનું કહેવું છે કે પીએમ સર્વોચ્ચ નેતા છે, તેથી જનતાના સવાલો તેમના સુધી પહોંચાડવા જરૂરી છે. બીજી તરફ, કોકરોય જનતા પાર્ટીના પ્રદર્શન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે. એક જનહિત અરજીમાં અપીલ કરવામાં આવી છે કે પ્રદર્શનકારીઓએ દિલ્હીને બંધક બનાવી દીધું છે. રસ્તાઓ બંધ છે અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.દિલ્હીના જંતર-મંતર પર કોકરોય જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ છે. ગુરુવારે સવારથી જ હજારો લોકો ત્યાં એકઠા થયા છે. પાર્ટી પ્રમુખ અભિજીત દીપકે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા છે.
શિક્ષણમંત્રીને હટાવે સરકાર: રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. બંનેએ NEET પેપરલીક મામલે જવાબદારી નક્કી કરવાની માગ કરી. રાજ ઠાકરેએ ૨૧/૧૧ મુંબઈ આતંકી હુમલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમયે ગૃહ મંત્રીને પદ પરથી હટાવવામાં આવ્યા હતા, તે જ રીતે હવે શિક્ષણ મંત્રીને હટાવવા જોઈએ.
PM રાજીનામું આપે CJPએ પોસ્ટ મુકી
શિક્ષણ તંત્રને મજબૂત બનાવો: અભિનવ બિન્દ્રા
શૂટર અભિનવ બિન્દ્રાએ કહ્યું, મેં ક્યારેય પોતાને રાજકીય વ્યક્તિ માન્યો નથી, પરંતુ મારું માનવું છે કે કેટલાક મુદ્દાઓ એવા હોય છે જે આપણા બધાના હોય છે, ભલે આપણા રાજકીય વિચારો ગમે તે હોય. શિક્ષણ આવો જ એક મુદ્દો છે. તેમણે કહ્યું, આપણે બધા એકજૂટ થઈને આપણા શિક્ષણ તંત્રને સતત અને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરીએ, જેથી તે આવનારી પેઢીઓ માટે તકની મજબૂત આધારશિલા બની રહે.
ધીરજ રાખો શિખર ધવન
ક્રિકેટર શિખર ધવને કહ્યું, 'આપણા યુવાનો જ આપણા દેશનું ભવિષ્ય છે. તેમના સપના, આશાઓ અને આકાંક્ષાઓને સમજવા જેટલું જરૂરી છે, તેટલું જ મુશ્કેલ સમયમાં ધીરજ જાળવી રાખવી અને દેશની સંસ્થાઓ તથા સરકાર પર વિશ્વાસ રાખવો પણ આવશ્યક છે.' તેમણે કહ્યું, 'મારું માનવું છે કે દરેક પડકારોનો ઉકેલ ધીરજ અને સંયમથી જ નીકળે છે. ભારત હંમેશા આગળ વધ્યું છે અને આગળ પણ આ જ રીતે નિરંતર પ્રગતિ કરતું રહેશે.'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી પ્રદર્શન ચાલુ રહેશે
CJPના પ્રવક્તાએ જાહેરાત કરી
ગુરુવારે સવારે જ પાર્ટી પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી કોકરોય જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ રહેશે. શંકાએ કહ્યું કે અમે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર હતા, પરંતુ સરકારે સમય બરબાદ કર્યો. હવે જો તેમને વાત કરવી હોય, તો જંતર-મંતર આવવું પડશે.