Loading Please Wait !!!
અબોલ જીવોના હાડપિંજરો મળ્યા; ચામડા કાઢી જતી ગેંગ સક્રિય થઈ હોવાની શંકા ?

મેટ્રોડાથી લોધિકા જવાના રસ્તા પર વીડની અંદર ચારે તરફ અબોલ જીવોના મૃતદેહ જોવા મળે છે

સિટી ન્યૂઝ@રાજકોટ

મેટ્રોડાથી લોધિકા જવાના રસ્તા પર આવેલી વીડ (ઝાડી-ઝાંખરા)ની અંદરથી અનેક અબોલ ગાય માતાઓ સહિત વિવિધ પશુઓના મૃતદેહો ચારે તરફ પડેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મેટ્રોડાથી લોધિકા જવાના રસ્તા પર વીડની અંદર અનેક અબોલ ગાય માતાઓ સહિત અબોલ જીવોના મૃતદેહો ચારે તરફ પડેલા જોવા મળ્યા. આ હ્રદયદ્રાવક અને માનવતાને શરમાવે તેવા દ્રશ્યો સામે આવતા જ પશુપ્રેમીઓમાં ઘેરો શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ગંભીર અને અતિ સંવેદનશીલ બાબત અંગે મેટોડા પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ જિલ્લા એસ.પી.ને તાકીદે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મેટોડા પોલીસની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની બારીકાઈથી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ ઘટના પાછળના કારણો અને કાયદેસરની આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જાણ થતાં મેટોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચારે તરફ વિખરાયેલા અબોલ જીવોના કાળજું કંપાવનારા મૃતદેહો જોઈને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવા અત્યંત ક્રૂર અને નિર્દય કૃત્ય આચરનારા અસામાજિક તત્વો સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયા સંગઠનો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે. આવા નિર્દય અને ક્રૂર કૃત્ય કરનાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જીવ સ્પષ્ટ માંગ, આ ઘટનાને પગલે અનેક ગંભીર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે, જો આ ગાયોની હત્યા કરવામાં આવી છે તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની પરવાનગી કોણે આપી ? શું કોઈ સરકારી તંત્ર કે જવાબદાર અધિકારીઓ અબોલ જીવો સાથે આ પ્રકારનું કૃત્ય કરવાની છૂટ આપી છે કે કેમ, તે અંગે પણ સઘન તપાસ જરૂરી બની છે. જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા સરકાર તથા સ્થાનિક તંત્રને વિનંતી કરવામાં આવી છે કે આ સમગ્ર કૌભાંડ કે ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. આ કાયરતાપૂર્ણ કૃત્ય માટે જવાબદાર વ્યક્તિઓને સત્વરે શોધી કાઢીને તેમને આકરીમાં આકરી સજા કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ અબોલ જીવ સાથે આવી નિર્દયતા દાખવવાની હિંમત ન કરી શકે.