Loading Please Wait !!!
મહારાષ્ટ્રમાં શ્રદ્ધાળુઓ ભરેલો મિનિટ્રક કૂવામાં પડ્યો: 14નાં મોત

  • મહારાષ્ટ્રમાં શ્રદ્ધાળુઓ ભરેલો મિનિટ્રક કૂવામાં પડ્યો: 14નાં મોત

સીટી ન્યૂઝ@સોલાપુર

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવનારી ઘટના સામે આવી છે. મ્હસવડમાં સિદ્ધનાથ ભગવાનના દર્શન કરીને પોતાના ગામ રાંજણી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓનો પિકઅપ ટ્રક (ટેમ્પો) રસ્તાની બાજુમાં આવેલા એક ઊંડા કૂવામાં ખાબક્યો હતો. આ ભયંકર અકસ્માતમાં વાહનમાં સવાર ૧૪ લોકોમાંથી ૮ લોકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જ્યારે સ્થાનિક લોકોની સતર્કતાથી ૬ લોકોનો આબાદ બચાવ થયો છે. આ ગોઝારી ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને આખું મહારાષ્ટ્ર હચમચી ગયું છે. એકસાથે ૮ લોકોની અર્થી ઉઠતા રાંજણી ગામમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

ઘટનાની વિગતો મુજબ, પંઢરપુર તાલુકાના રાંજણી ગામના ૧૪ જેટલા શ્રદ્ધાળુઓ, જેમાં બાળકો પણ સામેલ હતા, તેઓ મ્હસવડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા ગયા હતા. દર્શન પૂરા કરીને તેઓ પિકઅપ વાહનમાં પોતાના ગામ તરફ પાછા ફરી રહ્યા હતા. તે જ સમયે, મ્હસવડ-પંઢરપુર રોડ પર માલશીરસ તાલુકાના તાંડુવાડી ગામ પાસે અચાનક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે પૂરપાટ ઝડપે દોડતું વાહન સીધું જ રસ્તાની બાજુમાં આવેલા એક પાણી ભરેલા કૂવામાં જઈને પડ્યું હતું.

વાહન કૂવામાં પડવાનો મોટો ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક નાગરિકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કૂવામાં ખાસ્સું એવું પાણી હોવાથી અંદર ફસાયેલા મુસાફરોનો જીવ જોખમમાં હતો. જોકે, સ્થાનિક યુવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના તાત્કાલિક કૂવામાં કૂદીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ ૬ લોકોને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. પરંતુ કમનસીબે, બાકીના ૮ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણ પંખેરું ઊડી ગયા હતા.