Loading Please Wait !!!
16થી 18 ઓગસ્ટ દરમિયાન સ્વામી રાજેન્દ્રદાસ દેવાચાર્યજીના શ્રીમુખે સત્સંગ; રોજ સમૂહ સંકીર્તન

રાજકોટમાં 43મા અખંડ સંકીર્તન વર્ષ નિમિત્તે દિવ્ય સત્સંગનું આયોજન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ પર સેન્ટ મેરીઝ સ્કૂલ સામે આવેલા પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંદિરમાં છેલ્લા ૪૩ વર્ષથી ચોપસી કલાક શ્રી રામ જય રામ જય જય રામ વિજયમંત્રનું અખંડ સંકીર્તન ચાલી રહ્યું છે. આ અખંડ સંકીર્તનના ૪૩મા વર્ષ નિમિત્તે તા. ૧૬થી ૧૮ ઓગસ્ટ દરમિયાન ભક્તિમય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અનંતશ્રી વિભૂષિત શ્રીમદ્ જગદ્ગુરુ દ્વારાચાર્ય અગ્રપીઠાધીશ્વર તથા મલકપીઠાધીશ્વર પ.પૂ. સ્વામી રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજના મુખે દિવ્ય સત્સંગ યોજાશે.

તા. ૧૬, ૧૭ અને ૧૮ ઓગસ્ટ દરમિયાન દરરોજ સાંજે ૪થી ૭ વાગ્યા સુધી સત્સંગનું આયોજન કરાશે. સત્સંગનું સ્થળ શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ (A.C.), વિભાગ-૨, પેરેડાઈઝ હોલ રોડ, ગોપાલ ચોક પાસે, વોર્ડ નં. ૯ કાર્યાલય સામે, રાજકોટ રાખવામાં આવ્યું છે.

સત્સંગ નિમિત્તે શ્રી હરિનામ સંકીર્તન મંદિર ખાતે દરરોજ રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા દરમિયાન રાજકોટ તથા બહારગામથી આવેલા કલાકારો દ્વારા વિશેષ સમૂહ સંકીર્તન યોજાશે.

આ ઉપરાંત તા. ૧૬થી ૧૮ ઓગસ્ટ દરમિયાન દરરોજ બપોરે ૩થી ૪ વાગ્યા સુધી રામનામ મહારાજ તથા સદ્ગુરુ પાદુકાનું પૂજન, અર્ચન, અભિષેક અને મોક્ષોપચાર પૂજન કરવામાં આવશે.

પ્રેમપરિવારની શરૂઆત વર્ષ ૧૯૭૭માં કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૮૨માં વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુના શ્રીમુખે સંકીર્તન મંદિરની શરૂઆત થઈ હતી. સંસ્થાની અખંડ સંકીર્તનની પ્રવૃત્તિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.

સંસ્થાનો મુખ્ય હેતુ વિશ્વકಲ್ಯાણ અને વિશ્વબંધુત્વની ભાવનાને આગળ વધારવાનો તેમજ નાગજપ અને સંકીર્તનો પ્રચાર કરવાનો છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળ તથા ભક્તો દ્વારા અઠવાડિયામાં એક દિવસ રાત્રિધૂનની સેવા નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે.

હાલ રાજકોટ પ્રેમપરિવારમાં આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેનેજિંગ ટ્રસ્ટી ગોવિંદભાઈ ભાટેલિયા, હસુભાઈ ભગદે, રાજુભાઈ દાવડા, હરૂભાઈ નથવાણી, અનીલભાઈ ભાષાણી, દિનેશભાઈ રાયચુરા, ચંદુભાઈ પર્યાણી, હર્ષદભાઈ ગોહેલ સહિત શ્રી હરિનામ સંકીર્તન મંડળના કાર્યોરો અને સભ્યો આયોજનમાં જેહમત ઉઠાવી રહ્યા છે.

પ્રેમપરિવાર-રાજકોટ દ્વારા ધર્મપ્રેમી નાગરિકોને દિવ્ય સત્સંગ અને વિશેષ સમૂહ સંકીર્તનમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.