બે માંગણીઓ લેખિતમાં ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે હટવાના નથી
- CJP પ્રવક્તા સૌરવ દાસે કહ્યું
- જે બાળકોએ આત્મહત્યા કરી તેમના પરિવારને 1 કરોડ વળતર આપો : પોલીસકર્મીઓ પર કાર્યવાહી થવી જોઈએ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સુધી બાકીની માંગણીઓ પર લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે હટવાના નથી. ખરેખર, કોક્રોય જનતા પાર્ટીની ૩ મુખ્ય માંગણીઓ હતી - ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર અને પ્રદર્શનકારીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર અભિજીત દીપકે કહ્યું - મંત્રીનું રાજીનામું તો થઈ ગયું છે, પરંતુ અમારી બીજી ૨ માંગણીઓ છે. અમે આમ નહીં જઈએ. કોક્રોય એકવાર ઘૂસે છે, તો નીકળતો નથી. જે બાળકોએ આત્મહત્યા કરી તેમના પરિવારને એક કરોડ વળતર મળે. પોલીસકર્મીઓ પર કાર્યવાહી થવી જોઈએ.
- રાજીનામા પછી ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું
- હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું : પ્રધા
દેશની એકતા બની રહે, ભારતમાં એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાયદાકીય કાર્યવાહીમાં ન પસાર થાય તેઓ કેરિયરમાં ધ્યાન આપે આ વતને ધ્યાને રાખીને મારૂં રાજીનામું મોકલી આપ્યું છે. ભારતી યુવાન પેઢીનાં સપનાંને સાકાર કરવા એ અમારો રાજનીતિક અને સામાજિક જીવનનો સંકલ્પ રહ્યો છે. આદરણીય વડા પ્રધાનજીના દૂરદર્શી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાની તક જે મને મળી તે માટે હું તેમનો આભાર પ્રગટ કરું છું. તેમણે કહ્યું કે નીટ-યુજી પરીક્ષામાં જે અનિયમિતતા જોવા મળી તે મામલે તેમણે જવાબદારી લીધી હતી. તેમણે લખ્યું, "પહેલા જ દિવસથી મેં તેની જવાબદારી લીધી હતી. આ પરિસ્થિતિમાં મેં મોં નહોતું ફેરવ્યું. મારો એક સંકલ્પ હતો કે અમે કોઈ પણ પ્રભાવી વિદ્યાર્થીઓની સંભાવના પરીક્ષા માફિયાને કારણે ખરાબ નહીં કરવા દઈએ. કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં કરવા દઈએ. આંદોલન વિશે તેમણે લખ્યું, "પરંતુ આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા લોકોએ અવરોધ ઊભો કરવાની કોશિશ કરી અને તેનાથી હું વ્યથિત થયો. ધર્મેન્દ્રપ્રધાને એક્સ પર લખ્યું, "હું છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહું છું. મારો હંમેશાંથી એવો વિશ્વાસ રહ્યો છે કે સશક્ત, સર્વસમાવેશક અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ એક મજબૂત રાષ્ટ્રની પાયાની શિલા હોય છે.