Loading Please Wait !!!
અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ

=> 57 દિવસ યાત્રા ચાલશે, હેલિકોપ્ટર સેવા બંધ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ છે અને બાબા બરફાનીના દર્શન કરવા આતુર છે. અમરનાથ યાત્રા ૨૦૨૬ ૩ જુલાઈથી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી રક્ષાબંધન સુધી ચાલશે. જેને લઈ લુધિયાણાથી હજારો શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અમરનાથ યાત્રા માટે શિવ ભક્તોને ૧૪ કિલોમીટર સુધી પગપાળા જવાનું હોય છે. અમરનાથ યાત્રા માટે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૦ વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓને આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નથી. આ વર્ષે, વહીવટીતંત્રે અમરનાથ યાત્રા અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. દર વર્ષે યાત્રા માટે યાત્રાળુઓ અમરનાથ યાત્રા માટે નીલગ્રંથથી પંચતરણી અને પહેલગાંવથી પંચતરણી સુધી પગપાળા, ઘોડા પર અને હવાઈ માર્ગે મુસાફરી કરતા હતા. પરંતુ આ વખતે અમરનાથ યાત્રા પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોથી યાત્રા માર્ગને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે. ૧૩ થી ૭૦ વર્ષની અંદરના કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. છ અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓને મુસાફરી કરવાની પરવાનગી નથી. આ વખતે આરોગ્ય તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે, પહેલગામ રૂટ ૪૮ કિમીના આ રસ્તા ખુબ લાંબા છે પરંતુ તેનું ચઢાણ ખુબ સરળ છે.