Loading Please Wait !!!
સાવધાન : નમકીનના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

આજના જમાનામાં ફૂડિકેસી એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે અપરાધી ખાવા-પીવાના સામાનને પણ છોડતા નથી. દૂધ, દહીં, પનીર, મીઠાઈ, જોયાથી લઈને હવે બંધ ડબ્બામાં નકલી અને ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓની ભેળસેળ કરી રહ્યા છે. હવે ગુરુવારે જ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

એક શક્ષે જણાવ્યું કે, ડેમસ કંપનીની નમકીનની સીલબંધ પેકેટની અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. કહેવાય છે કે ડેમસ બ્રાન્ડની સીલબંધ નમકીનના પેકેટની અંદરથી મરેલા ઉંદરનું બચ્ચું નીકળ્યું છે. પેકેટ ખોલતા જ જ્યારે ગ્રાહકની નજર તેમાં પડી તો મરેલો ઉંદર જોવો મળ્યો તો લોકોના રુંવાડા ઊભા થઈ ગયા.

જાનકારી અનુસાર, રાજપુર વિસ્તારની નવી વસ્તીના રહેવાસી જાવેદ પાને મુગલ રોડ પરની એક દુકાનમાંથી બાળકો માટે ખાવા ૮૦ રૂપિયાનું એક ફેમસ બ્રાન્ડનું ખટ્ટા-મીઠી નમકીનનું પેકેટ ખરીદ્યું હતું. જાવેદ પેકેટ લઈને દુકાન સામે એક ચબૂતરા પર બેસી ગયો

અને જેવું પેકેટ ખોલીને ખાવાનું શરૂ કર્યું કે નમકીનની વચ્ચે એક મરેલો ઉંદરનું બચ્ચું જોવા મળ્યું.

નમકીનની વચ્ચે ઉંદર જોઈ આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓ પણ ચોંકી ગયા. પીડિત જાવેદ ખાને જણાવ્યું કે, સારી વાત એ રહી કે, તેમની નજર સમય રહેતા પેકેટની અંદર રહેલા ઉંદર પર પડી, જેથી બાળકોએ તેને ખાધું નહીં. તેમણે આરોપ લગાવ્યો કે, જો ભૂલથી આ નમકીન ખાઈ લીધું હોત તો ગંભીર ફૂડ પોઈઝનિંગ અથવા જીવલેણ બીમારીનો શિકાર થઈ ગયા હોત.

ઘટનાથી આક્રોશિત ગ્રાહકોએ ઘટનાસ્થળ પર સીલબંધ પેકેટ અને તેમાંથી નીકળેલા ઉંદરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયોમાં લોકો પેકેટની એકસપાયરી ડેટ અને પેકેજિંગની તપાસ કરતા કંપનીની ઘોર લાપરવાહી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જાવેદ ખાને ખાધ સુરક્ષા અને ઓષધિ પ્રશાસનને મામલાની તાત્કાલિક તપાસ કરી સંબંધિત કંપની અને જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.