દ્વારકા, 10 જૂન, 2025: આગામી બુધવાર, 11 જૂન, 2025 ના રોજ જલયાત્રા ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓએ આ ફેરફારો ખાસ નોંધી લેવા.
દર્શનનો નવો સમય:
- સવારે 6:00 વાગ્યે: મંગળા આરતી.
- સવારે 6:00 થી 8:00 વાગ્યે: મંગળા દર્શન.
- સવારે 8:00 થી 9:00 વાગ્યે: શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે.
- બપોરે 1:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી: દર્શન બંધ રહેશે.
- સાંજે 5:00 વાગ્યે: ઉત્થાપન દર્શન થશે.
- સાંજે 5:00 થી રાત્રે 9:30 વાગ્યા સુધી: જલયાત્રા ઉત્સવ ઉજવાશે.
- રાત્રે 9:30 વાગ્યે: દર્શન બંધ કરવામાં આવશે.
જ્યેષ્ઠાભિષેક ઉત્સવનું મહત્ત્વ:
નોંધનીય છે કે વર્ષમાં માત્ર બે જ વખત ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરાવવામાં આવે છે, જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ છે, જેનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સવારે જ્યેષ્ઠાભિષેક અને ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શન યોજાય છે.