29.4 C
Ahmedabad
Monday, June 16, 2025
spot_imgspot_imgspot_img

મોટી દૂર્ઘટના ટળીઃ લખનઉ એરપોર્ટ પર વિમાનના પૈડામાંથી તણખા ઝર્યા, 250 હજયાત્રીઓનો આબાદ બચાવ


લખનઉ: રવિવારે સવારે લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવેલી ફ્લાઇટ SV 312 ના લગભગ 250 હજ યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો. વિમાનના લેન્ડિંગ દરમિયાન તેના પૈડામાંથી તણખા અને ધુમાડો નીકળવા લાગતા એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઇટ સવારે 6:30 વાગ્યે લખનઉ એરપોર્ટ પર પહોંચી હતી. રનવે પર ઉતરતાની સાથે જ વિમાનના એક પૈડામાંથી તણખા નીકળતા જોવા મળ્યા, જેના પગલે એરપોર્ટ સ્ટાફ તાત્કાલિક એલર્ટ થઈ ગયો. એરપોર્ટ સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરીને કટોકટીની સ્થિતિને કાબૂમાં લીધી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢ્યા.

શરૂઆતમાં, આ ઘટનાની જાણ થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ એરપોર્ટ સ્ટાફની સજાગતા અને ત્વરિત પ્રતિભાવને કારણે મોટી જાનહાનિ ટળી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે, વિમાનને પાછળ ધકેલીને ટેક્સીવે પર લાવવામાં આવ્યું હતું, જ્યાંથી મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલ ભવન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -