અમરેલી જિલ્લાનું એક માત્ર બાબરકોટ ગામ જે વિવિધતામાં એકતા માટે જાણીતું ગામ છે. જ્યાં તમામ સામાજિક, ધાર્મિક કાર્ય, સમૂહ લગ્ન , વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળીને આયોજન કરે છે આજરોજ દેવીપૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામનું ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તથા વિવિધતામાં એકતા ધરાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જય દ્વારકાધીશ ગૌશાળા થી ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના મંદિર સુધી લાલજી ભરતભાઈ વાઘેલાનું સામૈયું કરીને બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ તથા ફુલેકું કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા ના માર્ગદર્શન અને સહયોગથી બાબરકોટ ગામની વિધાર્થીની બહેનોને રમત ગમત ક્ષેત્રે કબડ્ડીમાં જિલ્લા કક્ષા, જોન કક્ષા અને રાજ્ય સુધી પહોંચાડવામાં લાલજીભાઈ મહત્વનું યોગદાન રહ્યું છે. અને રાજ્ય કક્ષાએ બાબરકોટ ગામનું ગૌરવ વધારેલ છે.
વિવિધતામાં એકતા ધરાવતું અમરેલીનું બાબરકોટ ગામ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -