સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં ભીમ અગિયારસનો તહેવાર ઉજવવામા આવે છે. ભૂતકાળમાં પણ અનેક વખત ભીમ અગિયારસના દિવસે વાવણી લાયક વરસાદ નોંધાયા છે. ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા અને તેના આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ઢળતી સાંજે વાતાવરણમાં અચાનક પલટો થતા પવન સાથે ધોધમાર વરસાદનુ આગમન થયું હતુ. સતત એક કલાક માં એક ઇંચથી વધુ વરસેલા વરસાદે વડિયાની બજારો પાણી પાણી કરી નાખી હતી. તો ઉનાળુ પાકની આખરી સીઝન ચાલતી હોવાથી ક્યાંક ખેતી ક્ષેત્ર માં નુકશાન તો આગતરું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અંતે લોકોમાં મેઘરાજએ અગિયારસનુ મુર્હત સાચવ્યું એવી ચર્ચાઓ થઈ હતી.