રાજકોટ: મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ નજીક ખાનગી શાળાઓની મનમાનીના વિરોધમાં રજૂઆત કરવા જઈ રહેલા કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત અને અન્ય પાંચ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી…
આ ઘટના અંગે માહિતી આપતા વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટતા ધંધાદારી સ્કૂલ સંચાલકો પર જિલ્લા શિક્ષણ અધિકારી અસરકારક પગલાં નોહતા લેતા, જેના કારણે અમે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવા આવ્યા હતા.”
જો કે, કોંગ્રેસના કાર્યકરો મુખ્યમંત્રી સુધી પહોંચે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોહિત રાજપૂત સહિત પાંચ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીંગાટોળી કરીને તમામ કાર્યકરોને પોલીસ વાહનમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.