જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક નજીક એક આસામીના ઢોરના વાળામાં ગેરરીતિ આચરી ભેંસના પાડાઓને ક્રૂરતાપૂર્વક બાંધી રાખ્યા હોવાની બાતમી આધારે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત પીએસઆઇ રૂદ્રસિંહ જાડેજા અને સર્વેલન્સ સ્ક્વોડ ટીમ દ્વારા દરોડો પાડી 32 જેટલા અબોલ જીવને આસામીના વાળામાંથી છોડાવી જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોર ડબ્બે ખસેડવામાં આવ્યા હતા તેમજ બીલાલ શબીરભાઇ શેરજી અને સરફરાજ ઓસમાણ દલ વિરૂદ્ધ એનિમલ એક્ટ તળે કાર્યવાહી કરી ગુન્હો નોંધી અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી થી કાલાવડ નાકા બહાર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.