અંકલેશ્વર-વાલિયા રોડ પર એપલ પ્લાઝા પાસે મોડી રાત્રે લાકડાની કેબિનમાં અચાનક આગ લાગી હતી સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી અંકલેશ્વર-વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા પાસે મોડી રાત્રે લાકડાની કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં કોઈ વ્યક્તિ દ્વારા જાણી જોઈને કેબિનમાં આગ લગાવવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.