અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જીથુડી ગામથી બળેલ પીપરીયા ગામને જોડતો રસ્તો બંધ થતા ખેડૂતો અને રાહતદારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કાચા માર્ગ પર ગટરના પાણી ભરાતા રસ્તો બંધ થતા ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ખેડૂતોને પોતાના જ ખેતરમાં જવા માટે ફરીને જવું પડે છે હાલ આ રસ્તા ઉપર ગટરોના ગંદા પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્ર વધ્યો છે અને ગામમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના હિતમાં તંત્ર ક્યારે એક્શન લેશે