આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ એક ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દે ઘટસ્ફોટ કરવા માટે જુનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં પ્રવીણ રામે મીડિયા સમક્ષ જણાવ્યું કે જેમની પર ફ્રોડના આરોપ લાગતા હતા તેવા ભાજપના વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલે સાબિત કર્યું છે કે તેઓ પોતે ફ્રોડ છે. બે થી ત્રણ દિવસ પહેલા તેમણે પોતાના નામનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ લેટરમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિસાવદર ભેસાણ તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્ત કરવા માટે મુખ્યમંત્રી અને મુળુભાઈ બેરાનો આભાર ગઈકાલે તેમના નામાંકન વખતે મુખ્યમંત્રીની હાજરીમાં તેમણે ફરી એકવાર આ વાતનો ઉલ્લેખ કર્યો અને આ વખતે 13 ગામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હું ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની આ વાતને નકારી કાઢું છું આ વાત વિસાવદરના લોકોની આંખોમાં ધૂળ નાખવા સમાન વાત છે.