અંકલેશ્વર જીઆઇડીસીની મુક્તિ ચોકડી પાસે આવેલી ફીનોલ પીપલજ કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કંપની તરફ જતા માર્ગને તાત્કાલિક કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર ડી.પી.એમ.સીની ચાર ફાયર ફાઈટર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.