પ્લાસ્ટિક ફ્રી ભારત બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ આગળ ધપાવીને સાયકલોથનનું આયોજન કર્યું હતું વિશ્વ સાયકલ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું મોડાસાના સાંઈ બાબા મંદિર ખાતેથી જિલ્લા કલેકટરએ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મોડાસા શહેરમાં ઘણા વર્ષોથી સાયકલિંગ કરતા તબીબો તેમજ નગરજનોએ પોતાની પ્રતિક્રિયા આપીને સાયકલ ચલાવવાથી થતા ફાયદા જણાવ્યા હતા. સાયકલિંગમાં જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા..