રાજકોટમાં પીજીવીસીએલ તંત્રનો કડવો અનુભવ ખુદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકરને થયો છે. વોર્ડ નં.2માં છેલ્લા ચાર દિવસથી રાત્રિના સમયે વીજળી ગૂલ થતી હોવાથી જયમીન ઠાકરે સ્થાનિકોને સાથે રાખીને PGVCLની પ્રદ્યુમનનગર (જામટાવર) કચેરીએ જનતા રેડ પાડી હતી. આ દરમિયાન અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તેમના ઉદ્ધતાઈભર્યા વર્તન સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તો હવે રાત્રિના લાઈટ ન જવી જોઈએ તેવી લેખિતમાં બાહેધરી પણ લીધી હતી.
રાજકોટમાં વોર્ડ નં.2માં ચાર દિવસથી લાઈટ જતા PGVCL કચેરીએ સ્ટે.ચેરમેનની જનતા રેડ, ગ્રાહક સેવા સુધારવા માંગ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -