30 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં રાહદારીને બચાવવા જતાં બાઇક ખાડામાં આવી જતાં સ્લીપ થયું ને ટ્રકનાં પૈડાં હેઠળ કચડાયા, 2 સેકન્ડમાં બન્નેનાં મોત, CCTV


રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અજય શૈલેષભાઈ પરમાર અને પિતા શૈલેષભાઈ પરમારનું મોત નીપજ્યું છે. રસ્તાની વચ્ચે પડેલા ખાડા અને રાહદારીને બચાવવા જતા ટેન્કરનાં વ્હીલ પિતા-પુત્ર પર ફરી વળ્યાં. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં. મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટિંગ કરીને મજૂરી કામ કરતા હતા. મૃતક અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનનાં લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો. બુધવારે પિતરાઈ બહેનનાં લગ્ન છે, કાલે મંડપ મુહૂર્ત હતું. ખાડાના કારણે પિતા-પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -