રાજકોટ શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાશે. આગામી 7મી જાન્યુઆરીએ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યવિસ્તાર કુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘના સહકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યની હાજરીમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાનાર છે. જેમાં 10 વર્ષથી મોટા બાળકોને પણ પ્રવેશ આપવામાં આવનાર છે. જ્યારે રવીવારના સવારે 9 થી સાંજે 5 કલાક સુધી આ કાર્યક્રમ યાજાનાર છે. ઉલ્લેખનીય છે કે સંઘની સ્થપનાને 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સંઘ દ્વારા વિવિધ યોજાઈ રહ્યા છે.