ભરૂચ જિલ્લા ભાજપની PM વિશ્વકર્મા, સુશાસન દિન, મનન કી બાત, VBSY ના આયોજન અંગે બેઠક મળી હતી જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં, ઝઘડિયા તાલુકાના 30 કોંગ્રેસીઓએ કેસરિયા કર્યા હતા આગામી સરકારી કાર્યકમોની ઉજવણી અંગે બેઠકમાં રૂપરેખા ઘડાઈ હતી બેઠકમાં ઝઘડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકારાયા હતા. ભરૂચ કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના, મન કી બાત, શ્રદ્ધેય ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિને સુશાસન દિનની ઉજવણી, વીર બાલ દિન, નમો એપ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યકમોના આયોજન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર : મનીષ પટેલ