રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઘંટેશ્વર પાસે નવી કોર્ટ નજીક સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે 4 એકર જમીન ઉપર 14 જેટલા ગેરકાયદે ઝુંપડા બાંધી દબાણ કરી લેવામાં આવ્યું હોય તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા 20 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી આ સરકારી જમીન ઉપર આગામી સમયમાં જજ અને વકીલો તેમજ કર્મચારીઓ માટે ક્વાટરનું નિર્માણ કરવામાં આવશે