રાજકોટના રાજકીય આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તો જલારામ બાપાની રંગોળી પણ બનાવવામાં આવી હતી. આ સાથે જ પંચનાથ મહાદેવ મંદિર ખાતે દેવાંગભાઈ માંકડ, તથા તેમની ટીમ, પુજારી, ટ્રસ્ટીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ શોભાયાત્રા રાત્રે 8 વાગે પંચનાથ મંદિરે વિરામપામ્યા બાદ તેની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનો લાભ જલારામ ભકતો એ લીધો હતો. આ સાથે જ પંચનાથ મંદિરે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. શોભાયાત્રામાં જલારામ જન્મોત્સવ સમિતિ, રઘુવંશી યુવા ગ્રુપ (વોર્ડનં.10) બોલબાલા ટ્રસ્ટ, લોહાણા યુવક પ્રગતિ મંડળ, રામધુન ટ્રસ્ટ વિહિપ સહિતના વ્યકિતગત તથા સંસ્થાઓના ફલોટ સામેલ થયા હતા. .