પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દ્વારા છેવાડાના વિસ્તારોમાં રૂબરૂ સ્થળ ઉપર જઇ બાળકોને ફટાકડા તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફટાકડા-મીઠાઇ વિતરણ કાર્યમાં મયુરનગર ખાતે આવેલ ટ્રસ્ટના ભવન ’કિલ્લોલ’ ખાતે રામ ફાયર વર્કસના સુરજભાઈ લાલવાણી સાથે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી ઋષભભાઈ રૂપાણી, વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, રૈયાધાર ખાતે ટ્રસ્ટના અમીનેશભાઈ રૂપાણી, કોર્પોરેટર અલ્પેશભાઈ મોરજરીયા, ઈંદિરાનગરના ખાતે કોર્પોરેટર બીનાબેન આચાર્ય, દુર્ગાબા જાડેજા વોર્ડ પ્રમુખ સેજલબેન ચૌધરી લોહાનગર ખાતે, સાત હનુમાન ખાતે, યુવરાજનગર ખાતે વગેરેએ કર્મચારીઓ સાથે સ્થળ ઉપર જુદ ફટાકડા તથા મીઠાઇનું વિતરણ કર્યું હતું.