28 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલના ગોંડલી નદી ઉપરના રાજવી કાળ ના પુલ પર ભારે વાહનોની પ્રવેશબંધી કરાતા શહેરના અન્ય રાજમાર્ગો પર ટ્રાફિકજામ સર્જાયો


ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ગોંડલી નદી પર એક સદી પહેલા બે પુલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હોય જે છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત થઈ રહ્યા હોય સુરક્ષા હેતુથી યતિશભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં અરજ કરાતા કોર્ટે બંને પુલ ઉપર ભારે વાહનોનાં આવનજાવન પર પ્રતિબંધિ મૂકવાનો હુકમ કર્યો હોય નગરપાલિકા તંત્ર એ કાર્યવાહી હાથ ધરતા શહેરના અન્ય રાજમાર્ગ તેમજ નાની મોટી બજાર, સેન્ટ્રલ ટોકીઝ, સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવા પામી હતીત્યારે અત્રે એ ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા હોય નાની મોટી બજાર માંડવી ચોક સહિતના વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભીડ પણ ભેગી થતી હોય તેવામાં વાહનોનો પણ ટ્રાફિકજામ થતા ઘટના પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર માટે પણ સિર દર્દ સમાન બની જવા પામી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -