સલાયા થી પરોડિયા જતાં રોડ માં લાંબા સમયથી ખાડાઓ પડેલ હોઈ અનેક રજૂઆત છતાં રોડ બનાવવામાં ન આવતા લોકોની મિશકેલીનો હાલ કાઢવા માટે પરોડિયાંના સરપંચ દ્વારા આજરોજ વહેલી સવારથી રોડ ઉપર ટ્રેકટર દ્વારા ભરતી નાખી અને જાતે કાર્યકરો ભેગા મળી અને ભરતીને પાવડા દ્વારા પાથરી રોડમાં કામચલાઉ કાર્ય કર્યું હતું. ત્યારે લોકો વાર જાણવા મળ્યું હતું જે આ રોડ બનાવવા લેખિત અનેક રજૂઆત છતાં સરકાર દ્વારા રોડ બનાવવામાં આવતો નથી જેનો ભોગ સલાયા અને પરોડિયાની જનતા બને છે. ત્યારે લોકોએ સરકાર સમક્ષ પ્રશ્ન કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા પરોડીયાની જનતાને કેમ અન્યાય કરવામાં આવે છે એ સમજાતું નથી. જેથી અંતે સરપંચે આ મુશ્કેલીમાં રાહત થાય એ માટે જાતે આં કામ કરવું પડ્યું હવે સરકાર જાગે એની રાહ જોવી રહી.
રિપોર્ટિંગ. આનંદ લાલ સલાયા