રાજકોટ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમીશનરને કોંગ્રેસે રજુઆત કરી જણાવેલ કે, લાખાજીરાજ રોડ, ધી કાંટા રોડ પર છેલ્લા રપ વર્ષ થી માત્ર દિવાળી ટાણે ૧૦ દિવસ ધંધો કરવા આવતા ૧૦૦ થી વધુ ગરીબ લોકોના ઘર ચાલતા હોય ત્યારેમહાનગરપાલિકાના કર્મચારીઓ ધંધો ના કરવા દેતા નથી અને બીજી તરફ આત્મનિર્ભરની વાતો કરવામાં આવે છે. ત્યારે ગરીબ પાથરણાવાળાઓ દિવાળી ટાણે દિવા, સુશોભન, રંગોળી, તોરણ, સ્ટીકર, મુખવાસ જેવી સીઝન આઇટમ વેચતા હોય છે જેથી ગરીબ પાથરણાવાળાઓને કોંગ્રેસ આગેવાનોમાં રણજીત મુંધવા, અશોકસિંહ વાઘેલા, ડી.પી. મકવાણા, ગાયત્રીબા વાઘેલા, ગોપાલ અનડકટ, અતુલ રાજાણી, સંજય ચોટલિયા, મયુર ઠાકર, દિનેશભાઇ મીરાણી સાથે શારદાબેન, રતનબેન, ભાનુબેન, રવિભાઇ, જીતેશભાઇ, શોભાબેન, હેતલબેન, સુમનબેન, રોશનીબેન સહિતના પાથરણા વાળાએ ધંધો કરવા છુટ આપવા રજુઆત કરી હતી.