બોટાદના સારંગપુર ખાતે આવેલ કિંગ ઓફ સારંગપુર ખાતે સ્વામિનારાયણ ધર્મ દ્વારા જય હનુમાનજીને દાસ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિરુદ્ધ જોવા મળી રહ્યો છે અને સાધુ સંતો પણ હવે આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે. જેને લઈને અમદાવાદ જિલ્લા તેમજ અમદાવાદ શહેરના સાધુ સંતોની આજે સાણંદ પાસે આવેલ લંબી નારાયણ આશ્રમ ખાતે મહત્વની બેઠક મળી અલગ અલગ 12 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે સાધુ સંતોએ કોર્ટની અંદર પણ જવા તૈયારી દર્શાવી છે. તેમજ તે અંગે મહામડલેશ્વર ઋષિ ભારતી જણાવ્યું હતુ કે આજ સાણંદ પાસે આવેલ લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સતો બેઠક મળી હતી. જેમાં 12 જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. 5 તારીખે રાજ્ય કક્ષાના સંતો તેમજ બીજા રાજ્યના સાધુ સંતો પણ આ બેઠકમાં હાજર રહેશે.આગામી સમય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સાધુ સંતો પણ આ આંદોલનમાં જોડાશે.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર