રાજકોટ બાલ કૃષ્ણ ગ્રુપ દ્વારા લતા શુશોભણ પ્લોટમાં 3 મહિનાની મહેનત બાદ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી અંતર્ગત સોમનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. તેમજ આ મંદિર મયૂર નગર શેરીનં.1, યુજીત રૂપની પાસે, સંતકબીર રોડ ખાતે, સરદાર સ્કૂલ પાછળ બનાવવામાં આવ્યું છે. જેમાં પૂજારી તરીકે દિનેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. તેમજ આ મદિર ખાતે દરરોજ પૂજા, અર્ચના અને કીર્તન કરવામ આવશે. તેમજ દર સોમવારે અહી વિશેષ શણગાર કરવામાં આવે છે આ સાથે અહી દરરોજ 51 દિવાની દીપમાળ પણ કરવામાં આવે છે.