રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે સિટી ન્યૂઝ દર્શકો માટે લઈને આવ્યું છે ધારેશ્વર મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલ પૌરાણિક અને સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ મંદિરનો અનોખો મહિમા છે અંહિયા દરરોજ હજારો ભક્તો દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ખાતે શ્રાવણ માસમાં દર સોમવારે ભોળિયાનાથને અનોખો શણગાર કરવામાં આવે છે આ ઉપરાંત આખો શ્રાવણ મહિનો દરરોજ 51 દિવાની દીપમાળા પણ કરવામાં આવે છે ધારેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા લોકોએ મનોમન માનેલી મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે જેથી ભક્તોને ધારેશ્વર મહાદેવ ઉપર અતૂટ શ્રધ્ધા છે.