સમગ્ર ભાવનગર આજે તિરંગાનાં રંગમાં રંગાયું છે ત્યારે આ યાત્રા થકી નાગરિકો દેશભક્તિ તરફ પ્રેરિત થાય તે માટે ભાવનગરનાં એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતે મેયર કિર્તીબાળા દાણીધારીયાનાં નેતૃત્વમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. આ સાથે આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. તેમજ દ્વારા આ ત્રિરંગા યાત્રાનું ઘોઘા ગેઇટ ચોક, ખારગેઈટ ચોક, બાર્ટન લાઇબ્રેરી અને હલુરીયા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી એ મેઈન સ્ટેજ ખાતે – ધ વેવ ગ્રુપ, ખારગેટ ચોક ખાતે-ફ્યુજન ડાન્સ, ઘોઘા ગેટ ચોક ખાતે- અર્ચનમ ગ્રુપ દ્વારા યોગા ડાંસ અને હલુરિયા ચોક ખાતે- નીપા ઠક્કર ગ્રુપ દ્વારા દેશભક્તિ ડાંસ કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર