23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી; મચ્છર જન્ય રોગચાળો રોકવા પ્રભાવિત વિસ્તારોમાં ફોગીંગ સહિતની કાર્યવાહી…..


રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી રોગચાળો વકર્યો છે. ગત સપ્તાહે પણ મનપાનાં ચોપડે નોંધાયેલા શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો હતો. જેને લઈને મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આરોગ્ય વિભાગે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ખાસ મશીનો દ્વારા ફોગિંગ અને પોરાનાશક કામગીરી હાથ ધરી હતી. . જેમાં કોલેજવાડી, વીર માયા પ્લોટ, શાસ્ત્રી મેદાન, ઓલ્ડ જાગનાથ, ગવલી વાળ સહિતના વિસ્તારોમાં ફોગીંગ મશીન સાથે ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતીતેમજ ઘરે-ઘરે પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -