25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

રસરંગ મેળા-૨૦૨૩ માટે ફોર્મ વિતરણ તથા સ્વીકાર માટે ત્રણ દિવસની મુદતનો વધારો : ૧૯ જુલાઈ સાંજે ચાર કલાક સુધી ફોર્મ ભરી શકાશે


રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૦૫/૦૯/૨૦૨૩ થી તા.૦૯/૦૯/૨૦૨૩ દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળો ૨૦૨૩માં ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટે હાલ ચોમાસાની સીઝન હોય બહારગામના આસામી ફોર્મ જમા કરાવવાથી વંચિત રહી જવા પામેલ હોય ત્રણ દિવસની મુદતનો વધારો કરવામાં આવેલ છે. જેથી આવતીકાલથી તા.૧૯/૦૭/૨૦૨૩ બુધવાર સમય ૧૧:૦૦ થી ૪:૦૦ કલાક સુધી જાહેર રજા સિવાય ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ,શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતે ફોર્મ વિતરણ તથા સ્વીકારવા તેમજ નાયબ કલેકટર કચેરી, રાજકોટ શહેર-૧, જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતે લોકમેળાના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. જેમાં તમામ કેટેગરીના અરજદારો ફોર્મ ભરી શકશે જેની સૌને નોંધ લેવા અધ્યક્ષશ્રી લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટરશ્રી રાજકોટ શહેર-૧ની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -