રાજકોટ તાલુકાના નવાપરા ગામમાં બન્યો કે જ્યાં લીલાબેન ખરેડી નામની ૨૦ વર્ષની સગર્ભાને રાત્રીના ૧૨ વાગ્યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપાડતાં બેડીપરા ૧૦૮ ના ઇ.એમ.ટી. રાજેશ ભાલીયા અને પાયલોટ સુરેશ પરમાર ગણતરીની મિનિટોમાં જ નવાપરા ગામે રાત્રિના ૧૨-૨૦ વાગ્યે પહોંચી ગયા હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સના સ્વાસ્થ્ય સેવકોને પ્રાથમિક તપાસમાં સગર્ભાનો દુઃખાવો વધારે અને અસહ્ય હોવાં સાથે જોડિયા બાળકો હોવાનું માલુમ પડ્યું. સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામા આવે તો રસ્તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ હોવાથી આકસ્મિક સંજોગોમાં પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડે તેવી સ્થિતિ હતી.
પ્રથમ બાળકનો જન્મ થયા બાદ બીજું બાળક બિલકુલ હલન-ચલન કરતું ન હતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો. તેથી ૧૦૮ના સ્ટાફે તાત્કાલિક નિર્ણય લઇ ફોન ઉપર ઈમરજન્સી સેન્ટરમાં બેઠેલા ફિઝીશ્યન ડોક્ટરની સલાહ મુજબ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ (CPR) તથા કૃત્રિમ શ્વાસોચ્છવાસ (BVM) આપવાનું ચાલુ કર્યું, જેને લીધે થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્યું. ૨૦ મિનિટ બાદ બીજા બાળકને પણ સફળતાપૂર્વક જન્મ અપાવ્યો. બંને બાળકો સારી રીતે રડવા લાગ્યાં હતાં.આમ, લીલાબેનના જીવનમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં આમ ૧૦૮ની સેવાને લીધે એક સાથે ત્રણ લોકોનો જીવ બચાવી શકાયો હતો. આ બંને નવજાત શિશુને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખસેડાયા હતાં. ફરજ પરના ડૉ. અઝીલ દ્વારા તપાસ કર્યા બાદ બંને બાળકો અને સગર્ભા સ્વસ્થ હોવાથી પુષ્ટિ કરી હતી.
આ ક્ષણે સગર્ભા માતાના પરિવારજનો સરકારશ્રીની યોજનાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જો આજે ૧૦૮ની સેવા ન હોત તો અમે અમારી પુત્રવધુ અને તેના બે કુમળા બાળકોને પણ ગુમાવી બેઠા હોત અને અમે અમારી જાતને કોઈ દિવસ માફ ન કરી શકત. માતામૃત્યુ દર અને બાળમુત્યુ દર ઘટાડવામાં ૧૦૮ની સેવા અગત્યની ભૂમિકા ભજવી રહી છે જિલ્લાની કોઈ પણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવાં માટે ૧૦૮ ની સેવા કટિબદ્ધ રહે છે તેમ ૧૦૮ સેવાના જિલ્લા અધિકારીશ્રી દર્શિત પટેલ એ જણાવ્યું હતું. ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ બેડીપરા ૧૦૮ ના કર્મચારીઓને બિરદાવ્યા હતાં.