રાજકોટમાં આકાશવાણી ચોક નજીક આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમાં મનપા દ્વારા તાત્કાલિક ખાલી કરવા આશરે 3-4 દિવસ પેહલા નોટિસ અપાઈ હતી. તેમજ નોટિસ આપ્યાના 2 દિવસમાં ક્વાર્ટર લોકો દ્વારા ખાલી ન કરતા મનપા દ્વારા નળ અને ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. જેથી રહેવાશીઓએ આવાસ તાત્કાલિક ખાલી કરવા તેમજ આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે આવેદન આપવા માટે આવસના રહેવાસીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.