24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે પીજીવીસીએલ દ્વારા ઈલેક્ટ્રીકના વીજ વાયર થાંભલાને બદલે ઝાડ સાથે બાંધ્યા છે


આમ તો ચોટીલા પીજીવીસીએલ તંત્રની અવારનવાર બેદરકારી સામે આવે છે ત્યારે આ બેદરકારી એક નવી જ જોવા મળી  છે પીજીવીસીએલ દ્વારા વિજ વાયર પોલ સાથે બાંધવાના હોય તેની જગ્યાએ એક ઝાડ સાથે  બાંધવામાં આવ્યા છે ચોટીલામાં મનહર પાર્ક સોસાયટી તરફ જતા રસ્તા ઉપર અનેક વીજ પોલ આવેલા છે  જ્યાં એક જગ્યાએ વિજ પોલ ની બાજુમાં જ એક લીમડાના ઝાડ સાથે વીજ વાયર બાંધવામાં આવેલા છે આ વીજ વાયરમાંથી ગામડામાં વીજ  સપ્લાય થાય છે આ રસ્તા ઉપર એક સ્કૂલ પણ આવેલી છે અને આ રસ્તા ઉપર રોજના હજારો બાળકો સ્કૂલે અવરજવર કરતા હોય છે તેમજ બે-ત્રણ સોસાયટીના લોકો પણ અહીંથી જ પસાર થતા હોય છે શું પીજીવીસીએલ કંપની પાસે વીજ પોલો ખૂટ્યા હશે કે પછી જાણી જોઈને આવી બેદરકારી કરવામાં આવી હશે

રિપોર્ટર મુકેશ ખખ્ખર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -