33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જમીનકૌભાંડ મામલે પૂર્વ CMનો દાવો: ‘ સરકારે કોઈ ભ્રષ્ટાચારીને છોડયા નથી, લાંગા મને બદનામ કરે છે, પંચમહાલ ખાતે મેં જ કાર્યવાહીના આદેશ આપ્યા’તા, અમિત ચાવડા રાજકીય રોટલા શેકે છે’


ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાએ આચરેલા ભ્રષ્ટાચારનો મુદ્દો હાલ ગુજરાતમાં ગાજી રહ્યો છે, જેમાં એક નનામો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્રમાં એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ જ આક્ષેપને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ સમર્થન આપ્યું હતું. તેમજ  આ મુદ્દે પૂર્વ CM રૂપાણીએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે લાંગા મને બદનામ કરે છે, પંચમહાલ ખાતે મેં જ તેના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે, તેમજ અમિત ચાવડા રાજકીય રોટલા શેકે છે. આ સાથે વધુ માં જણાવ્યું હતું કે સરકારે કોઈ ભ્રષ્ટાચારીને છોડયા નથી, અમારી સરકારે IAS અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી પરંતુ નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા નીકળ્યા હોય તેવું લાગે છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -