23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુપ્રસિધ્ધ દ્વારકા યાત્રાધામની બંને જેટી ઉપર પ્રાથમિક સુવિધાઓના અભાવે યાત્રાળુઓ પરેશાન


દેશનાં છેવાડે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા આવેલ છે. અહી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રવાસી આવેછે. અહી ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 170 પેન્શિજર બોટો કાર્યરત્ છે. અહીની બન્ને જેટી ઓ અસુવિધા જૉવા મળે છે. પાણીના પરબ, બેસવા માટે બાકડા, છાયા માટે છાપરા જેવી સામાન્ય સુવિધા પણ નથી. તેમા અલગથી પેસેન્જર ટિકિટ વ્યવસ્થા તથા સાંજે 6 વાગ્યે પેંશિજર બોટો બંધ કરવાના GMBના સરમુખત્યાર સાહી નિર્ણયથી યાત્રિકો વધુ પરેશાન થાય છે. ઉનાળુ વેકેશનમા યાત્રિકોને ધોમધખતા તાપમા મુસાફરી કરવી પડે છે. અને દ્વારકાધીશ મંદિર ના દર્શન સાંજે 5 વાગ્યે ખુલતા હોય ત્યારે પણ ભક્તજનોની ભીડ હોવાથી પરેશાન થાય છે. ઉનાળાના સમયે સાંજે 7:30 વાગ્યાં સુધી પેન્સિજર બોટો ચાલુ રાખવા તથા ટિકિટ બારીની વ્યવસ્થા પહેલા બેસવા અને તડકા થી બચવા છાપરા ની વ્યવસ્થા અંગે ઘટતુ કરવા લોક માંગ ઊઠી છે.

હરેશ ગોકાણી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -