40.6 C
Ahmedabad
Friday, June 13, 2025
spot_imgspot_imgspot_img

હવે સૌરાષ્ટ્રવાસીઓએ મુંબઈ નહીં જવું પડે: રાજકોટથી ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ થતાં ઈન્દોરનું પ્રથમ પ્લેન આવતા વોટર કેનનથી કરાયું સ્વાગત


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. આજથી રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે. ત્યારે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. તેમજ આ ફ્લાઈટ શરૂ થતાંની સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ અને લોકોને ફાયદો થશે.છેલ્લા કેટલાક સમયથી રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ વધારવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતાં પહેલાં આજથી ઈન્ડિગો કંપની દ્વારા ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ થયો છે. એરપોર્ટ પર ઇન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટ આવી પહોંચતા વોટર સેલ્યૂટ કરી વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ શરૂ થતાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો લાભ મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -