34.7 C
Ahmedabad
Friday, May 30, 2025
spot_imgspot_imgspot_img

હડમતીયા-રાજકોટ ડબલ રેલવે ટ્રેકનું PM મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ


રાજકોટ માટે રેલવે કનેક્ટિવિટીના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હડમતીયા અને રાજકોટ વચ્ચેના રેલવે ટ્રેકને ડબલ ટ્રેક બનાવવામાં આવ્યું છે, જેનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ 39 કિલોમીટર લાંબા ડબલ ટ્રેકના લોકાર્પણથી રાજકોટ અને આસપાસના વિસ્તારોની રેલવે સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. ટ્રેનોની અવરજવર વધુ ઝડપી અને સુવિધાજનક બનશે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને માલસામાનની હેરફેર પણ વધુ કાર્યક્ષમ બનશે. આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ રાજકોટ રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક સાંસદો તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -