22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના ગામોને સ્વચ્છ રાખવા તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી તેને ડસ્ટીંગ સ્ટેશને લઈ જઈને યોગ્ય નિકાલ કરી શકાય તે હેતુથી મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત દ્વારા એક-એક ટ્રેકટર અને ટ્રોલી ફાળવવામાં આવ્યા છે. જેમાંથી આજે ૧૫ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવામાં આવ્યા હતા જે પૈકી મોરબી તાલુકાના ધનુડા, ટંકારા તાલુકાના છતર, હળવદ તાલુકાના રમણલપુર અને માનગઢ, માળિયા તાલુકાના જુના ઘાટીલા, તરઘરી, કુંતાસી તથા વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, સિંધાવાદર, ભાયાતી જાબુંડિયા એમ મળી કુલ ૧૫ ગ્રામ પંચાયતોના ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ટ્રેક્ટર ટ્રોલીની ફાળવણી કરવામાં આવી છે. ૧૫ મું નાણાપંચ વર્ષ- ૨૦૨૨-૨૩માં જિલ્લાની ૧૦% ગ્રાન્ટમાંથી ૬૭ લાખ ૫૦ હજારના ખર્ચે મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટોલી ફાળવવામાં આવ્યા છે જેનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાઈટ : ડી ડી જાડેજા, ડીડીઓ મોરબી


ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજે મુસ્લિમ સમુદાય માટે ગૌરવપૂર્ણ દિવસ હતો પવિત્ર હજયાત્રા માટે હાલ દુનિયાભર માંથી મુસ્લિમ બિરાદરો પવિત્ર હજયાત્રા માટે પહોંચી રહ્યા હોય ત્યારે અલ્લાહ ની રહેમથી મોટી પાનેલી ગામના આઠ બિરાદરો પણ ઉમરાહ માટે વિદાઈ લઇ રહ્યા હોય હાજીઓ ને વિદાઈ માટે મોટી પાનેલી સમસ્ત મુસ્લિમ સમુદાય સાથે આસપાસ ના ગામોના મુસ્લિમ ભાઈઓ બહેનો અત્રે ના મુસ્લિમ જમાત ખાતે એકસાથે ભેગા મળ્યા હતા જેમાં હજારો મુસ્લિમ ભાઈઓ બહેનોએ તમામ હાજીઓ ને ફુલહાર ના બહુમાન સાથે અશ્રુભીની આંખે વિદાઈ આપી દુવા કરી હતી પવિત્ર ઉમરાહ માટે જનારા હાજીઓ માં સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ સોરા મારિયમબેન સોરા ઉમરભાઈ મેર જેનબબેન મેર નુરમામદ સોરા ઇમ્તિયાઝભાઈ ખત્રી સલીમભાઇ ઘાંચી ઈલિયાસબેન ઘાંચી ને અલ્લાહ ની રહેમો કરમ થી પવિત્ર હજયાત્રા નસીબ થયેલ હોય સર્વે મુસ્લિમ જમાત એકસાથે મળી હાજીઓ ને વિદાય આપી ન્યાઝ માં પ્રસાદ ગ્રહણ કરી અલ્લાહ ને બંદગી ફરમાવેલ સર્વે સમુદાય નો સમાજના પ્રમુખ ઇશાકભાઈ સોરા એ ભારે હૃદયે આભાર વ્યક્ત કરેલ.

 

કમલેશ વસાણી


Previous article
જસદણ ખાતે સામાજિક વનીકરણ રેન્જ જસદણ – વિંછીયા દ્વારા “હરિત વન વસુંધરા” પ્રોજેકટ અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ”નું ખાતમુહૂર્ત સાથે ‘૭૪’ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ-૨૦૨૩ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે “મારી માટી, મારા દેશ” અભિયાનમાં ગામના તળાવો પાસે મોટી માત્રામાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. પર્યાવરણની જાળવણી માટે તેનું જતન- ઉછેર કરવી તે આપણી સામાજિક ફરજ છે. ઓક્સિજન કેટલો મહત્વનોછે, તેની આપણને કોરોના કાળમાં ખબર પડી હતી જસદણથી ચીતલીયા રોડ,અક્ષર મંદિરની બાજુમાં જસદણ ખાતે એક હેક્ટર વાવેતર વિસ્તારમાં આકાર પામનાર આ અર્બન ફોરેસ્ટ માં ૨૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. ખારી નદીના કાંઠે આવેલ આ અર્બન ફોરેસ્ટમાં વન કવચ મિયાવાકી પદ્ધતિથી ૫૧ જાતના ૫૦૧ રોપા ૨૫ બાય ૨૫ મીટર એરિયામાં મંત્રીશ્રી મહાનુભાવો અને વિદ્યાર્થીઓના હસ્તે વાવવામાં આવ્યા હતા. અર્બન ફોરેસ્ટમાં વચ્ચેના એરિયામાં વન કુટીર તથા શરૂઆતના એરિયામાં ચિલ્ડ્રન પ્લે એરિયા તરીકે વિકસાવવામાં આવશે. તેમજ જસદણ ચિતલીયા રોડ ખાતે વોકિંગ એરીયા ડેવલપ કરાશે. બાઈટ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા બાઈટ રેન્જ ફોરેસ્ટ ઓફીસર એચ એમ રાઠવા રિપોર્ટર વિજય ચૌહાણ
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -